ગત જૂનમાં
પંચમહાલમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધો.૮ની અપર પ્રાયમરી શાળાની રચના કરી હતી. અને
વર્ગ કાર્યરત કરતાં માધ્યમિકમાં ફરજ બજાવતાં શિક્ષકોને જેતે સ્થળે ખાલી પડેલ જગ્યા
ઉપર તેઓને સમાવેશ કર્યા હતા. ત્યાર બાદ છેલ્લા છ માસ ઉપરાંતથી માધ્યમિક શાળામાં
શિક્ષકોને અભાવે શૈાક્ષણિક કાર્ય ખોરંભે પડતાં વાલીઓમાંભરતી કરવાની માંગ કરાઇ રહી
હતી.
દરમ્યાન માધ્યમિક
શાળમાં નિવૃત થતાં સ્ટાફ તથા વર્ગ વધારની માંગણી સ્વીકારાઇને વધુ વર્ગ મંજૂર કરતાં
શિક્ષકોની જરુરિયાત ઉભી થઇ હતી.વળી કેટલાક સ્થળોએ ધો.૮ના વર્ગો બંધ કરવાની નોબત
આવતાં સમાવેશ કરાયેલા શિક્ષકોને મૂળભૂત સ્થળે પરત કરવાના થાય છે.જેથી જેતે વખતે
ફાજલ પડેલા ૧પ૦ જેટલા શિક્ષકોને માધ્યમિકમાં સામાવેશ કરવાની કાર્યવાહીના ભાગરુપ
આગામી તા ૨૯ અને ૩૦મી જાન્યુઆરીઆં કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે.પરંતુ પ્રથમ
દિવસ મંગળવારે કોઇ કેમ્પમાં હાજર રહેવાનુ મુનાસીબ માન્યુ ન હતુ.
જેતે માતૃશાળામાં
ખાલી પડેલી જ્ગ્યાએ બી.એસ.સી,બીએડ,ભાષાના શિક્ષકો સમાવેશ થઇ શકે તેમ હોવા છતાં
અન્ય શાળામાં બદલી સામે વાંધા વચકા રજૂ થયા હતા.શિક્ષણાધિકારી દ્વારા આવી શાળાઓએ
સમાવેશ પાત્ર અંગે નવેસરથી દરખાસ્ત મોકલી આપવાનુ નક્કી કરવામાં આવતાં આનંદ ફેલાયો
છે.
-दिव्य
भास्कर-गोधरा
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો